વળાદરા બાલાર્કો

સ્વ.સુમંતરાય ચી ભટ્ટ
૧૩, મિલન પાર્ક ૧૦૨, પુષ્પદંત ફ્લેટ,
પ્રેસિડેન્ટ હોટેલ પાસે,
સ્વસ્તિક ચાર રસ્તા પાસે,
નવરંગપુરા,અમદાવાદ-૯
ટે .નં. ૨૬૪૨૧૩૨૧

             જે બાલાર્ક બ્રાહ્મણો વિષે પ્રસ્તુત લેખ તૈયાર થયો છે તેઓ હાલમાં તો ઘણાબધા ગામો અને નાના મોટા શહેરો માં છુટા છવાયા વાસે છે. બ્રિટીશ અમલ દરમ્યાન માં કામ ધંધાને લઈને ઘણા લોકો સ્થાનફેર થયા છે. આમ બન્યા પહેલા એમ કેહવાતું કે, “નવ ગામની આ નાત છે” નવ કે વધુ ગામો માં જમીનો ધરાવી ઘણે ભાગે ખેતી અને ધીરધાર ઉપર નભતા આ બ્રાહ્મણો નો કેટલોક ભાગ દેશાટન થી ભિક્ષા કે દાન મેળવી ઉપાર્જન કરતો. ત્યારના એ ગામોમાંના મહેમદાબાદ, કઠલાલ, ડાકોર, પીજ, કપડવંજ, અને વડથલ. હાલ પણ રેલવેના લાભ મેળવી રાખવામાં ભાગ્યશાળી છે. જયારે સરસવણી, હાથીજણ, જરમઠા (ગીરમથા) રેલ્વે ના લાભ થી વંચિત ગુજરાત માં વસ્યા છે. પણ રાજસ્થાનના માંડી, ધાવા, ઉઠાળા, વલ્લભનગર અને વાંસવાડા, મેવાડમાં રેલ્વે થી વંચિત હાલ પણ છે. રાજસ્થાન ના આ ગામો ની અને ગુજરાત માં સરસવણી તથા વડથલ માંથી ઘણીખરી વસ્તી મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા, નડિયાદ, રાજકોટ, જેવા નગરો માં જઈ વસી છે.

            આ બાલાર્કો ના કેહવા મુજબ તેઓ સાબરમતી નદીને તીરે આવેલા “વરાધ” – “વલાદ” અથવા “વળાદ“ તરીકે ઓળખાતા એક ગામ માંથી હિજરત કરીને આ બધા ગામો માં જઈ વસ્યા. તે વખતે જે શાષકો હશે તેમની પાસે અનુગ્રહ કે દાન રૂપે ભૂમિ મેળવી તેઓ ખેતી કરવા લાગેલા. સને ૧૯૧૯ ની આસપાસ તેમણે ખબર પડી કે જે બ્રાહ્મણો “વલાદ” તરીકે ઓળખાય છે તેમને પદ્માંપુરાણ માં “બાલાર્કો” તરીકે ઉલ્લેખ્યા છે.

             વલાદ ને એમણે કેમ છોડવું પડ્યું એ સવાલ ના જવાબ માં માત્ર એક ઉત્તર એ જ મળ્યો કે વિધર્મી – આક્રમક ગણાયા હોય એવા મલેચ્છો ના ઉપદ્રવ થી ત્રાસી એમણે અન્યત્ર નાશ ભાગ કરવી પડેલી. આ ધર્માંધ ઉપદ્રવીઓ કોણ હતા? અને ક્યારે આ બન્યું હશે? લોકો આના જવાબ માં ઘણા આક્રમકો ના નામ આપે છે. કોઈ ચોક્કસ સમય ગાળો કે આક્રમક નું ચોક્કસ નામ ઐતિહાસિક રીતે મેળવી શકાતું નોહ્તું.

            આ લેખ દ્વારા આ સમયગાળો કેવીરીતે સંકળાવી શકાય છે તે ઈ.સ. ૧૩૦૦ આસપાસ મૂકી શકાય તેનો અને એ આક્રમકો કોણ હોઈ શકે તેનો અંદાજ આપવાનો પ્રયાસ કર્યો છે. લગભગ ઈ.સ. ૧૯૯૧ થી ૧૯૯૭ સુધીમાં અલગ અલગ દ્રષ્ટિકોણ થી અને વેરાયેલા પડેલા લેખો – ઉલ્લેખો જેવી લભ્ય સામગ્રીના સંકલન ના પરિપાક રૂપે આ લેખ બન્યો છે.

          બીજો મહત્વનો પ્રશ્ન એ થાય છે કે, “વલાદ” માં બાલાર્કો વસ્યા તે પેહલા આ બ્રાહ્મણો ક્યાંથી આવીને વસ્યા હશે. તેના સમય અને સ્થળ જાણવાની એક કોશિષ આ લેખ માં કુતુહલ રૂપે થઇ છે. બાલાર્કો નો આ સમુદાય ભલે અત્યારે શહેરો કે ગામો માં વેરાયેલો પડ્યો હોય પરંતુ કોઈ એક કાળે ક્યાં જાતિ – સમૂહો જોડે મૂળ માં સંલગ્ન હશે? આ સવાલોનો યથા શક્તિ ઉકેલ મેળવવાનો આ એક પ્રયત્ન છે. કેહવાની જરૂર નથીકે “વલાદ” ગામ માં “હાલમાં એક પણ બાલાર્ક વસતો નથી. એથી એમ માનવું કે બાલાર્કો વળાદ વાળા નથી. એ જેમ ખોટું છે, તેમ “વલાદ” માં વસ્યા પેહલા તેઓ બીજે સ્થળે થી નથી આવ્યા એ માનવું પણ ભૂલ ભરેલું છે. વળી બાલાર્કો હાલ માં બ્રાહ્મણો તરીકે ના મનાય તેમ ગણવું જેમ ખોટું છે તેવીજ રીતે તેઓ ગુજરાત – રાજસ્થાન માં આવીને વસ્યા તે પેહલા પણ તેઓ બ્રાહ્મણ જ હતા તેવું સમજવું પણ આધાર વિનાનું ગણાય. પ્રયત્ન કરીએ તો અને ધગશ હોય તો આ મંતવ્યો માટેના સબળ સૂચનો મળી આવે એમ છે. આ બધું આ લેખ માં સૂચવ્યું છે.

            આ પ્રેરક બળો નું ફળ આ લેખ બન્યો છે કે કેમ તે શોધવાનું કાર્ય આપણા અભ્યાસુ અને જિજ્ઞાસુ બાલાર્કો ને જ સોપીએ.

            કોઈ જૂથ, ટોળી કે સમુદાય ની ઓળખ અન્ય માણસો આપે છે. સીન્ધુતટે વસનારી પ્રજાને “હિંદુ” કહેનારા અન્ય લોકો હતા. ધોળકાથી આવનારને ધોળકિયા, સઠોદ થી ઓળખાનારને સાઠોદરા, વિસનગર કે વડનગરની પીછાનવાળાને વિસનગરા કે વડનગરા કહેવાય છે. ફૂલના ગામને ફ્લેરા, ધવલક ઉપરથી વસેલું ગામ ધોલેરા તરીકે ઓળખાય છે તેમજ સાંચોર ગામથી આવનારા સાચોરા અને વલાદ ગામ છોડીને અન્યત્ર વસનારને વળાદરા તરીકે અન્ય પ્રજાએ જાણ્યા છે અને ઓળખાયા છે. શ્રીમાળનગર માંથી આવનાર કોઈ પણ નિવાસીને શ્રીમાળી તરીકે ઓળખાય છે.

         પોતે બાલાર્કો હતા તેવું ભાન વળાદરા બ્રાહ્મણોને કરાવનાર પ્રથમ વ્યક્તિ ભટ્ટ શ્રી સોમેશ્વર દ્વારકાદાસ “જોશી” હતા. વળાદરાઓ એમના અતિશય ઋણી છે. એઓશ્રીએ સૌપ્રથમ સને ૧૯૧૯માં બાલાર્ક બ્રાહ્મણો અંગે વસ્તીપત્રકની એક પુસ્તિકા છપાવી વિના મુલ્યે નવેનવ ગામના વરાધરા બ્રાહ્મણોને કુટુંબ દીઠ મળે તેવી વ્યવસ્થા કરી ત્યારે વળાદરાને ખબર પડી કે “પદ્મપુરાણ”ના બાલોપાખ્યાનના ઉત્તરખંડમાં અધ્યાય બારથી પંદરમાં, શ્લોકો ૧ થી ૪૫ માં વળાદરાઓને બાલાર્કો ગણ્યા છે. ત્યારસુધી આવું ઉપયોગો સંશોધન બાલાર્કો વિષે કોઈએ કર્યું નહોતું.

         ભારતના હિંદુઓ માટે પોતાની ઉત્પત્તિ અંગેનો ઉલ્લેખ મહત્વના કે બિન મહત્વના કોઈ પુરાણમાં છે, એ વાતજ એક સંતોષજનક આત્મભાન નું પ્રોત્સાહન આપે છે. વળાદરા તરીકે ઓળખાતા આ કુળની ઉત્ત્પત્તિ અંગે હજી આગળ કંઈક પણ સંશોધનો થાય તો તે પુરતો રસ તો જરૂર ઉપજાવે.

           “પદ્મપુરાણ” માં આપેલી કથા બાલાર્કોને ગૌરવ અને ગર્વ બક્ષે એવી છે, છતા અંતે તેમને નિસ્તેજ બનાવે એવી વાત પણ બને, તે કથાનો સાર એવો છે કે, સાબરમતી નદીને તીરે બાલા પુર નામે એક ગામ હતું. સામે તીરે ઇન્દ્રપુર (ઇન્દ્રોડા) નામે બીજું એક ગામ હતું. “જાબાલી” ઋષિ એક તપસ્વી હતા. તેમની પત્ની કૌશીકીને એક બાળા અવતારી. તે બાર થી તેર વર્ષની થઇ ત્યારે ત્યાના કોઈ પરિચિત મનુષ્ય જોડે પોતાનો વિવાહ કરવાની મના તેણે માતા-પિતાને કરી. ખુલાસા માં તેણે જણાવ્યું કે સૂર્ય સમાન, તેજસ્વી દેવતાને તે મનોમન વારી ચુકી છે. જાંબલી એ બહુ સમજાવ્યા-પટાવ્યા છતા પોતાની જાતિ ની સમકક્ષ વ્યક્તિને બદલે તે બાળા એ પોતાની હઠ પૂરી કરી. ત્યારના સમાજને અશક્ય કે અસંભવ લાગે એવું કૃત્ય તેણે કર્યું. તે સગર્ભા બની. કાળક્રમે ૧૩ પુત્રોને તેણે જન્મ આપ્યો. આમ ઘણા કષ્ટે સૂર્યને પામવા છતા તે સૂર્ય સાથે રહી શકવા તો નાજ પામી. તેના તેર બ્રહ્મક્ષત્રિય સંતાનો બ્રાહ્મણ ના સંસ્કાર વગરજ રેહવા માંડ્યા. કોઈ એક રાજા વીરવર્મા એ તેમણે જોયા. પોતાની સંપત્તિ અને શક્તિના જોરે તેણે ૧૩ પુત્રોને ઉપવિત સંસ્કાર અપાવ્યા. આસપાસના મળીને ૧૩ ગામો તેમને બક્ષિશ મળ્યા. કોઈ “રાક્ષસે “ જયારે તેમને રંજાડવા માંડ્યા ત્યારે “સૂર્યે” મોકલેલ ઉચ્ચૈ:શ્રવા નામના ઘોડા એ એમને એ સંકટમાંથી ઉગાર્યા. પછી કાળાંતરે બાલાર્કોનું તેજ ક્ષીણ થઇ જવાથી સૂર્ય ક્ષેત્ર ભ્રષ્ટ થઇ જવાથી – ઘોડાનું રક્ષણ અટકી ગયું. આટલો સાર “પદ્મપુરાણ” ના શ્લોકો નો ગણાય. તે પુસ્તિકામાં વધારાનું ઉમેરણ ગુજરાતી માં શ્રી સો. દ્વા. જોશી એ કર્યું છે. તેમાતો તેમણે વળા દ માંથી કે વળાદ છોડીને આવનાર વળા દરા હિજરતીઓ પાસેથી સાંભળેલી અનુશ્રુતિ પ્રમાણે એકઠું કર્યું છે. તેમાં યવન/ મ્લેચ્છ શાશક ના કોઈ ત્રાસ થી બાલાર્કોની કતલ થઇ એમ જણાવેલ છે. વાયકામાં તો તે કતલ માંથી એક પણ બાલાર્ક બચ્યો નોહોતો. એમ પણ ગણાય છે. ગમે તેમ, પણ સત્ય હકીકત તો એજ છે કે એ વળાદ સ્થાન નો બાલાર્કો એ ત્યાગ કરવો પડ્યો.

           શ્લોકોમાં જણાવ્યા પ્રમાણે ત્રણેક મૂર્તિ અને બે એક મંદિરોની વાત “પદ્મપુરાણ” માં ઉલ્લેખાયેલ છે. એક મહેશ્વર દેવનું કાશેશ્વર મંદિર, બીજું વિર્નાથી મહાદેવની વાત છે. ત્રીજી વાત છે તે સુર્યદેવતાની સોનાની પ્રતિમાની, જેને બાલાર્કો પૂજતા. અન્ય કોઈ ઉલ્લેખો આજ વિષય ના ક્યાંથી મળે તે મુજવતો સવાલ છે. અન્ય બ્રાહ્મણો કે જેમના ઉલ્લેખો અન્ય પુરાણ કે સાહિત્ય-રાસો વગેરેમાં હોય અને બાલાર્કોને સ્પર્શે તેમ બને તો જરૂર આગળ સંશોધન થઇ શકે. “સાચોરા” કે “સાંચીહર” બ્રાહ્મણો નો ઉલ્લેખ “સ્કંધ પુરાણ” ના બારમાં અધ્યાય માં છે તેવી વાત આ આધારભૂત રીતે મળી છે. સાચોરા બ્રાહ્મણો નેપણ મ્લેચ્છો ના ઉપદ્રવ થી સાંચોર ગામ છોડવું પડેલું. અને તેઓ ત્રણ દિશાઓ માં સાંચોર થી પ્રયાણ કરી ગયેલા. જોપશ્ચિમ માં બાડમેર (બહાડમેર), બીજો સમૂહ દક્ષિણે ગુજરાત માં “સૂર્ય ક્ષેત્ર” માં જઈ વસ્યો અને ત્રીજો સમૂહ પૂર્વે મેવાડ માં ગયો. તેમના ઇષ્ટ દેવતા પણ સુર્યજ છે. તે દેવતા ના ચાર સ્વરૂપો મૂર્તિ રૂપે પૂજાય છે. બાડમેર માં બાલાર્ક સ્વરૂપે, પલાસવા (કચ્છ)માં તરુંણાર્ક સ્વરૂપે, ત્રીજું અને ચોથી સ્વરૂપ વૃદ્ધાર્ક અને સિધ્ધાર્ક તરીકે ઉલ્લેખાય છે. તેમના ઇષ્ટ દેવ મહાદેવ છે. અને તેમના કુળદેવી સતી દાક્ષાયણિજી છે.

            તે પુસ્તિકામાં વળાદ માટે ઘણા અન્ય નામો શ્લોકો માં આપ્યા છે. દા.ત. બાલાપુર, બાલા ભદ્ર, બાલા તીર્થ, સુર્યપુર, સૂર્ય ક્ષેત્ર વગેરે નો ઉલ્લેખ છે. વલાદ, વળાદ કે વરાધ ને ઉચ્ચાર માં વધુ સંસ્કૃત મય બનાવવાના ઉત્સાહ માં આમ બન્યું હોવાનો સંભવ વધુ છે. એ આખા ક્ષેત્ર ને વળી “બાલા વન” પણ ગણ્યું છે.

          આ બાલાર્ક શબ્દ ની વ્યુંપ્તિ શી છે? છણાવટ રસ ભરી બને તેમ છે.
(૧) બાલ + અર્ક (સૂર્ય) = બાલાર્ક, આજ સમાસ સાચોરા બ્રાહ્મણો ની એક પુસ્તિકા – તા. ૨૫/૩/૧૯૮૧ વાળી માં આપેલ શબ્દ માં પ્રણિત છે એમ લાગે છે. સાંચોર ને સિદ્ધેશ્વર પણ ગણે છે. તે પુસ્તિકાના પૂંઠા પર છાપેલ છે: શ્રી ગણેશાય નમ:, શ્રી બાલાર્કાય નમ:, શ્રી તરુણાર્કાય નમ: અને સતી દાક્ષાયણૈ નમ: | એટલે તેમના ઇષ્ટ દેવતા નું નામ આ રીતે ગણાયું: બાલ + અર્ક, તરુણ + અર્ક અને વૃદ્ધ + અર્ક તથા સિદ્ધ + અર્ક.
(૨) વળાદરા માટે બાલાર્ક શબ્દ બાલા+અર્ક એવા બે શબ્દો થી બન્યો હોય એમ બોલાય છે – વિગ્રહ થાય છે. શું આ બરાબર છે? આમ આ સમાસ સમાહાર દ્વન્દ્વ બનાવીને “પદ્મપુરાણ” માં વાપર્યો હોત તો જેમ પાર્વતી પરમેશ્વરૌ, લક્ષ્મીનારાયણૌ અથવા સીતારામૌ વપરાય છે તેમ “બાલાર્કો” એમ સંસ્કૃત શ્લોકો માં અચૂક વપરાયો હોત.

            ભારતમાં “અર્ક” શબ્દ સંયોજીને જે સમાસો વપરાયા છે તે પ્રસિદ્ધ સ્થળો મંદિરોમાં (૧) કોટયર્ક (૨) કોણાર્ક (૩) વલભી ના શાસક “ભટ્ટાર્ક” નો છે. આ બધા ઉલ્લેખોમાં ક્યાય પણ કોઈ રીતે “નારી” સૂચક અગ્ર શબ્દ નથી. દેવી નથી દેવ જ છે. પૂર્વ શબ્દ “દેવી” લઈને ભટ્ટી + અર્ક, તરુની+અર્ક,વૃધા+અર્ક,કોની +અર્ક એમ નથી .એટલે કે બાલા + અર્ક બંધ બેસતું નથી. બાલ: અસૌ અર્ક: ઇતિ બાલાર્ક: એમજ સ્પષ્ટ થાય છે.

           હજી વધુ વિચાર કરીએ તો શ્રી દ્વાસો જોશી ની પુસ્તિકામાં ક્યાય “બાલા” ની મૂર્તિ હોવાનો ઉલ્લેખ શ્લોકો માં નથી. તેમના ગુજરાતી ઉમેરણ માં લોકવાયકા તરીકે લીધેલી નોધ માં જ માત્ર ઉલ્લેખ છે કે વળા દ માં એક વાવ ના ગોખલા માં એક મૂર્તિ માતા ની હતી તે વાવ માં ઉંધે મસ્તકે પડી છે – (મળી નથી) વાવો માં અમુક સમયગાળા માં સપ્ત માતૃકાઓ ગોખલા માં મુકાતી અથવા સપ્ત માતૃકાઓ નો લાંબો પટ કોતરી ને દીવાલો માં કે કન્દોરા માં મુકાતો. દેવીઓ ના નામોમાં કાત્યાયની, છિન્નમસતા, પોડપી, ગૌરી, ભૈરવી, કાલી, લક્ષ્મી, સરસ્વતી, ચામુંડા, બગલા, માતંગી, વારાહીમાં, એક નામ બાલા પણ ગણાય છે. પરંતુ તે જાંબાલી ઋષિ ની પુત્રી તરીકે નથી.

            “બાલાર્ક” શબ્દ વળાદરાઓ માટે “જાતિ સૂચક” છે, જયારે સાચોરા બ્રાહ્મણો માટે તેજ શબ્દ તેમના ઇષ્ટદેવતા સૂચક છે. બીજું “બાલા” શબ્દ સાચોરા માટે દેવી તરીકે સાવ અજાણ્યો છે. એમની ઇસ્ટ દેવી દાક્ષાયણી છે. જે સૂચવે છે કે સતી એટલે પાર્વતી અને દક્ષ ની પુત્રી ગણાય છે. જો સૂર્ય આ બેઉ પ્રકારના બ્રાહ્મણો ના ઇષ્ટ દેવતા હોય તો સાચોરા માટે બાલા નું નામ આપ્રસીદ્ધ કેમ છે? – અજાણ્યું શાથી છે?

           ગુજરાતમાં વસવા માટે મુળરાજ સોલંકી (પહેલો) ના વખત માં ઉત્તરે થી બ્રાહ્મણો ને બોલાવાયા હતા, એવું ઈતિહાસ વિદોનું માનવું છે. આખા ભારતની વાત જવા દઈએ તો એકલા ગુજરાત માંજ અસંખ્ય જાતના બ્રાહ્મણો વસે છે. નાગર, ઔદીચ્ય, મોઢ, શ્રીમાળી, ખેડાવાળ, મેવાડા, ગૌડ, જાંબુ, શ્રીગોડ, વાલમ, સાચોરા અને વળાદરા વગેરે છે.

          એક પ્રશ્ન એ પણ થાય છે કે વળા દરા – બાલાર્કો ના ઇષ્ટ દેવતા માત્ર સુર્યજ કેમ છે? સાચોરા અને બાલાર્કો સિવાયના બ્રાહ્મણો માટે તેમના ઇષ્ટ દેવતા સૂર્ય કેમ નથી?

         બીજો મહત્ત્વ નો પ્રશ્ન એ પણ થાય છે કે “પદ્મપુરાણ” બાલાર્કો વિષે જે કહે છે તે સુ છેવટ ની જ વાત છે? પુરાણો કેટલા વિશ્વસનીય ગણાય? ઘટના કે પ્રસંગો બન્યા પછી કેટલાય સમય બાદ પુરાણો માં તેનો ઉલ્લેખ થયો હોય છે. ઘણે ભાગે પુરાણો માં હિંદુઓને લાંછન લાગે તેવી ઘટના અંગે મોટે ભાગે મૌન સેવાયુ જ હોય છે. અગરતો ઓછી લજ્જાસ્પદ રીતે ઘટના ને સહેજ મરડી ફેરવીને – કલ્પના ઉમેરીને શ્લોક બદ્ધ રીતે સંકલિત કરેલી હોય છે. તેથી તે પુરાણ ઘણું જુનું હોય એવા ભાસ થાય એમ રજૂઆત કરેલી હોય છે. બધા પુરાણો મહત્વ ના નથીજ. વળી મહત્વ ના પુરાણો માં બધીજ વાતો મહત્વની કે ખરી નીકળતી નથી. તેમાય ગૌણ પુરાણોમાં વળી તેમના ઉત્તર ખંડો પાછળ થીજ ઉમેરવામાં આવેલા હોય છે. પુરાણો માં ઉમેરણ કે પ્રક્ષેપો ઠેઠ બ્રિટીશ અમલ દરમ્યાન પણ થયેલા છે.

           શું બાલાર્કો નો ઉદ્ભવ બ્રાહ્મણો તરીકે પેહેલેથીજ થયેલો હશે? શું તેમની ઉત્ત્પત્તિ વળા દ માંજ થઇ? વળા દ ગામ વસ્યું હશે ત્યારથીજ શું બાલાર્કો ત્યાં હતા? અન્ય પ્રદેશો માંથી આવીને અત્રે વસ્યા હોય તે કેમ નકારાય? હાલમાં ત્યાં વસતા એક વૃદ્ધ મોઢ બ્રાહ્મણ શ્રી માધવલાલ શંકરલાલ જાની ૮૪ વર્ષ ની ઉંમર ના છે. ગામ ના નામ અંગે પૂછતાં તેઓ એમ જણાવે છે કે, મુસ્લિમો ના પ્રથમ હુમલા વખતે ગામ છોડી ગયેલા વળાદરાઓ સંકટ ટળતા, પાછા ગામ માં વળ્યા તેથી ગામ નું નામ વળા દ પડ્યું. સ્થળ ના નામ અને ઘટના ને બંધ બેસતી દેખાડે એવો ઉકેલ ઘણી વાર ઘણા સ્થળોએ લોકવાયકા માં જીભે ચઢે એવો વણાયેલો જડી આવે છે.

         તેમણે જણાવ્યા મુજબ વળાદ ગામ પૂર્વે, અત્યારના ગામ સ્થળ થી થોડે દુર – એકાદ માઈલ છેટે વસેલું હતું. તે સ્થળ લીમ્બચ માતાના હાલના મંદિર પાસે હતું એમ તેઓ એ જણાવેલું. જો આ વાતો સાચીજ હોય તો મુસ્લિમ હુમલા ગામ ઉપર એક કરતાં વધારે વાર થવાનો સંભવ છે. વળાદ માં સૂર્ય ની મૂર્તિ અંગે પૂછતાં તેમણે કહ્યું કે સોનાની સુર્યની મૂર્તિની ખબર નથી. પણ સોનાની વેલ હતી. વેલ એટલે માફો – રથ – સૂર્ય – રથ હશે એવું સાંભળેલું. શ્રી જાની ના પૂર્વજો મોઢેરા વસતા હતા. અલાઉદ્દીન ખીલજીના હુમલા થી મોઢેરા અને ઇન્દ્રોશ્રી ભાંગ્યા તેથી મોઢ બ્રાહ્મણો ઉત્કંઠેશ્વર જઈ થોડો વખત રહેલા. પછી તેમના વડવાઓ વળાદ આવીને વસેલા. આ બધું ૮૦૦ થી ૯૦૦ વર્ષો પૂર્વે બનેલું. એમનું એવું કેહવું છેકે આ બધું “સ્કંદપુરાણ” માં છે.
શું વળાદ એકલા બ્રાહ્મણો થીજ વસેલું હતું? સ્થળાંતર વખતે વળાદ માંથી બીજે ગયેલા અન્ય જ્ઞાતિના સમૂહો શું વળાદરા ના ગણાય?

            પ્રશ્નો જો અનેક હોય તો તેના ઉત્તરો પણ અનેક હોઈ શકે છે. સ્થળાંતર થયેલી પ્રજા પોતાની સાથે માત્ર બે જાતની વાતો જ વધુ યાદ રાખે છે, એક ગમતી અને બીજી અણગમતી. નાસતી ભાગતી પ્રજા પોતાની સ્મૃતિના ટુકડા કોઈ અન્ય પ્રજા કે ગામોને સુપ્રત કરીને હિજરત કરતી નથી. ત્રાસ, કેર અને સંકટો થી ઘેરાયેલી પ્રજાને આદિ થી અંત સુધી બધું યથાવત લખીને રાખવાનું સુજતુ નથી. પ્રદેશ – પ્રદેશ માંથી પસાર થતી વખતે પહેરવેશ, રીત રીવાજો, માન્યતાઓ અને બોલી પણ તેમના બદલાતા રહે છે. રજળપાટ તો થોડા ઘણા વર્ષો સુધી તેમનો પીચો છોડતી નથી. પરંતુ ક્યાંક ઠરીઠામ થયા બાદ જે યાદ મહત્વ રૂપે ઉપસી આવી હોય તે વળા દરા માટે કઈ હશે? સાચોરા બ્રાહ્મણો માટે કઈ હશે?

           આ બાબતમાં નોધ પાત્ર છે એકતો સૂર્યોપાસના, બીજું બ્રાહ્મણત્વ, ત્રીજું જાંબલી – બાલા નામો, ચોથું અશ્વ ઘોડો અને ગામ વળા દ: સૌથી વિશિષ્ટ રૂપે ઉપસી આવે તેવી આ બાબતો છે. છેલ્લી યાદ તેમને સ્થાનાંતરિત કરનાર આક્રમકો ની તો રહેજ, છતા જે યાદ માન ભંગ કરાવે – નીચું જોણું કરાવે – હીણપદ લાવે એવી વાતો ને માણસ ભૂલવા મથે છે. તેને ઊંડી ગર્તા માં ધકેલી ઢાંકી રાખે છે. આવો ઢાંક પછેડો પુરાણો નું ખાસ લક્ષણ છે. જે આક્રમકો ણે લીધે બાલાર્કો એ હારીને વળા દ છોડવું પડ્યું એનો નામોચ્ચાર સુધ્ધાં “પદ્મપુરાણ” માં નથી. એનો કાળ નિશ્ચિત કરવામાં સહાય રૂપ થાય તેવા સવંત્સર નો ઉલ્લેખ સરખો તેમાં નથી.

         સુર્યની મૂર્તિ કે મંદિરો સ્થાપીને – સૂર્યને સિક્કાઓ ઉપર સ્થાન આપીને પોતાના વંશનું બિરુદ – ઉપાધિ – લેખો – અભિલેખો અને ઢાળેલી પોતાની મુદ્રાઓ ઉપર અંકિત કરીને જે પ્રજાએ પોતાનો વંશ કે ઉપાસ્ય દેવતાનો સૌથી વધુ પક્ષ પાત કર્યો હોય તે પ્રજા કઈ?

           કઈ જાતિનો અમલ સૂર્ય પૂજા માટે સવિશેષ કારણભૂત રહ્યો છે? નવા પ્રદેશમાં ધસી જવામાં અને આક્રમણ માં સૌથી વધુ ઉપયોગી રહે તેવો અશ્વ કઈ જાતિનું અને કયા પ્રદેશનું સુચન કરે છે? એ જાતિ પોતાના જે મૂળ પ્રદેશ માંથી નીકળીને અન્ય સ્થળે ગઈ, તે પ્રદેશ નું નામ રાજસ્થાન ના કયા સ્થળ ને તે જાતિએ નામાભિધાન થી ઓળખાવ્યું? અને બાલાર્કો ની ઉત્ત્પત્તિ સાથે સંકળાયેલી કઈ વ્યક્તિ તે પ્રદેશ ના નામોચ્ચાર માં વિશિષ્ટપણે અંકિત થયેલ છે?
આવા અને અન્ય બીજા કઈક ઈશારા “બાલાર્કો” માટે ઉપલબ્ધ હોય તો તેમને ઉવેખવા એ સહેલું નથી – અશક્ય છે અને ડહાપણ ભર્યું પણ નથી.

              “પદ્મપુરાણ” માં ઉલ્લેખાયેલા જાંબાલી ઋષિ ના નામોચ્ચાર માં આખી એક જાતિનું રણકો છુપાયેલો છે.

            અમારા વડવાઓ ને એમ કેહતા મે સાંભળ્યા છે કે કઠલાલ માં વળા દરા ઓ આશરે ૭૦૦ વર્ષો પેહલા આવીને વસેલાં, આટલી વાત તો પૂર્વજોને ચોક્કસ યાદ રહી ગઈ છે. “૭૦૦ વર્ષ પૂર્વે” કથન બાહુ ઉપયોગી માર્ગદર્શન, વળા દ છોડવા અંગે, બની જાય છે.

             બાલાર્કોને વળા દ ગામ ક્યારે છોડવું પડ્યું હશે તેનો ઉત્તર “પદ્મપુરાણ” નથી આપતું. અન્ય કઈ કઈ જાતિઓ ને સ્થળાંતરો તે વખતે કરવા પડેલા? આ પણ ઉપયોગી બને તેવો ઉકેલ આપી શકે છે. આવા હિજરતી સમૂહો માં એકતો સાચોરા બ્રાહ્મણો સમાય છે. બીજા મોઢેરા ના મોઢ બ્રાહ્મણ – વણિક વગેરે છે. રાવળ બ્રાહ્મણો ૭૦૦ વર્ષ પેહલા ઉજ્જૈન વાડા માં વસેલા (જુઓ “ગુજરાત સમાચાર” પૂર્તિ તા. ૧૬/૧/૯૭). આ બધાની નાસભાગ નો સમય લગભગ એક જેવો નીકળે તો આક્રમકો ની ઓળખ સરળ થઇ પડે.

            સાચોરા કે સાચી – હર બ્રાહ્મણો વિશે કઈક ઉપયોગી માહિતી મળે છે. તે બાલાર્કો ની કેટલીક આખ્યાયિકા સાથે સૂચક રીતે સુમેળ સ્થાપે છે. આવી માહિતી તેમના સ્નેહ સંમેલન અને પાટોત્સવ અનુક્રમે તા. ૨૫/૩/૮૧ અને તા. ૨/૪/૮૩ ની પુસ્તિકાઓ માંથી મળે છે.

           ઉપરની પુસ્તિકાઓ માંથી જે માહિતી મળે છે, તેનું સમર્થન શ્રી નાનાલાલ પ્રભાશંકર દવે, નિવૃત પ્રોફેસર (કચ્છ – માંડવી) કરે છે. તેઓ શ્રી વિદ્વાન સાચોરા બ્રાહ્મણ છે. અને જાન્યુઆરી ૧૯૯૭ માં અમદાવાદ આવેલા ત્યારે મને રૂબરૂ મળેલા. તેઓના કથાન મુજબ સાચોરા બ્રાહ્મણો ની કથા “સ્કંધપુરાણ” ના બારમાં અધ્યાય માં સમાવિષ્ટ કરેલ છે. સાચી નામની એક કન્યા અને હર એટલેકે મહાદેવ – આ બે નામો મળીને “સાચી –હર” બ્રાહ્મણોનું નામાભિધાન થયું છે એવી એક કહેતી છે એમ તેમની પાસેથી જાણવા મળેલું. આ જાતિના સમુદાયને જયારે સાંચોર ગામ છોડવું પડ્યું ત્યારે તેઓ કેટલાક ઉત્તર ગુજરાત માં સિદ્ધપુર વગેરે સ્થળોએ તથા શામળાજી પાસે જઈ વસેલા. આ બ્રાહ્મણો અને વળા દરા બ્રાહ્મણો વચ્ચે એવી કઈ પ્રસંગોની, નામોની કે પૂજ્યો ની સમાનતા છે જે જોઈ જવાથી વળા દરા ઓ ની હિજરત ને સમયગાળા નું સમર્થન મળે?

ઉપરની પુસ્તીકામાંથી પાના નં. ૪ ઉપર કાવ્યમય શૈલી માં નીચે મુજબ પંક્તિઓ વાંચવા મળે છે –

“સાંચોર મે સતી વિરાજે, બાડમેર શ્રી બાલાર્ક, પલાસવા મેં તારુર્ણાક,
પતા લગાઓ કહાં વિરાજે શ્રી વૃદ્ધાર્ક – સિદ્ધાર્ક”
આગાળ ઉપર “ સાચી હર ઈતિહાસ, કી કિંચિત જલક” (કિવદંતી કે આધાર પર):-
ગુજરાત કે ઉત્તરાધે કાંઠે સતીને ક્ષેત્ર બસાયા . સતીને સત્યપુર બસાયા.
…….(પછી)
સ્નાન કરને ધોતી ફેંકી, ઉડ આકાશે જાતી || ૩ ||
સતયુગ બીતા, ત્રેતા બીતા, બીતો બીતો દ્વાપર ભાઈ |
સમય – કાલરી અદભુત લીલા, કલીરી પડી પરછાઈ || ૫ ||
ભારત દેશ રી પુણ્યભુમી પર, યવનો કરી ચઢાઈ |
ધર્મ લુંટ્યો, ધન લુંટ્યો, લુંટ્યો ધર્મરા મઠ | સોમનાથરો મંદિર લુંટ્યો ઐસો આયો દુષ્ટ||
મુહમદ બેગડો અત્યાચારી, ખુનરી નદી બહાઈ |
સત્ય પૂરરા યજ્ઞ કુંડ મૈ અશુદ્ધ ચીજ પટકાઈ ||
બાલક માર્યા, બુઢાં માર્યા, જવાન આંર નરનારી |
જનેઉ ઉતારી, ઐસો અત્યાચારી ||
પછી વધુમાં…….
ઇષ્ટ દેવને સાથે લેને, શ્રી બાલાર્કને સાથે લેને. શ્રી તરુણાર્ક ને સાથે લેને,
શ્રી પીંગલ શ્યામને (સૂર્ય) સાથે લેને, ભાગા સાચી – હર, બૈલ ગાડી મે ઘર || ૧૦ ||
પુરવ ભાગ્યા(મેવાડ – માલવા), દક્ષિણ ભાગ્યા(ગુજરાત), ભાગ્યા બાહડ મેર(પશ્ચિમ), જુને બહાડ મેર |
ઉણ દુષ્ટો રો દાવ ન લાગે, જઠે બસે હેં ક્ષત્રી શેર ||૧૧||
ઇષ્ટ દેવ રી કૃપા ભારી, સારી જાતિ રી કરે રખવારી. સમય સમય પર દર્શન દીના | …
પીલે ઘોડે દર્શન દીના, ભક્તો રા કારજ સબ કીના || ૧૩ ||

ઉપરનો થોડો ઉતારો અત્રે આપવાનું કારણ એ છે કે (જોશી) શ્રી સોમેશ્વર દ્વા. ભટ્ટ ની લખેલ “વળા દરા જ્ઞાતિની ઉત્ત્પત્તિ” ની પુસ્તિકામાં લોકવાયકા વાળા ગુજરાતી ભાગમાં જે કઈ લખ્યું છે તે ઉપરની કંડિકા ઓ માંના ઉલ્લેખો સાથે કેટલું બધું મળતું આવે છે! દા.ત. વળા દરાઓ સ્નાન કર્યા બાદ (ભગવાને) આકાશમાંથી મોકલેલ વસ્ત્ર પેહરી લેતા. એવી દૈવી સિદ્ધિ તેમને પ્રાપ્ત હતી. જનોઇયું તળાવ, ઘોડા દ્વારા રક્ષણ ને ટાળવા ગૌ માંસ દ્વારા નદીના પાણીને અપવિત્ર કરવું વગેરે ઉપરની વાયકાઓ સાથે સરખાવી જોવા જેવું છે.

             ઉપર ગણાવેલી પુસ્તિકા નં. ૨માં મુખ્ય સંપાદક શ્રી નાનાલાલ દવે (વડોદરા) ગુજરાતી માં માહિતી આપે છે તેમાં પાના નં. ૫ ઉપર હિન્દી ભાષામાં એક અપીલ પણ કરી છે કે, “સાંચોર યહી સિદ્ધેશ્વરી હૈ – જિસમેં ઇષ્ટ દેવીમાં સતી દાક્ષાયણીજી કે છોટે મંદિરમે પ્રતિમા ઔર દેવલ કો મોહમ્મદ ગઝનવી એવં મોહમ્મદ બેગડા આદિ કી સેનાઓ ને છુઆ એવં કોસા” માટે તે મંદિર નો જીર્ણોધ્ધાર કરી વધુ મોટું બનાવવા લોકોને સહાય કરવા અપીલ કરી છે.

            આમ મોહમ્મદ ગઝનવી – અલ્લાઉદીન ખીલજી – કે મોહમ્મદ ઘોરી કે મોહમ્મદ બેગડો આ બધા ઉપર રન્જાડવાનો આક્ષેપ મુકાયો છે એ વાત ઉપર ધ્યાન ખેચવાની જરૂર છે. કયો “મોહમ્મદ” તે કદાચ ભૂલાઈ ગયું હોય – અને તેથી લોકવાયકામાં ગેરસમજ થી નામ – ફેર કે ઘટના દોષ – સમય દોષ રહી જવા પામ્યા હોય તે બનવા જોગ છે.

            વાલમ બ્રાહ્મણો ની વસ્તી – પુસ્તિકામાં તેમના નામ અંગે રાસોપ્રબંધ કે ભાટો દ્વારા કરેલી ચોખવટ કે અણસાર આપ્યા છે. વલભી (સૌરાષ્ટ્ર) ગામ માંથી આવેલા હોય તેઓ પેહલા “વાલભી” કહેવાતા. પછી “ વળા “ ગામે થી આવેલા તરીકે “વાલમ” કેહવાયા. વલભી નું નામ લોકોકિત માં વલહી પછી “વલઈ” ગણાતું.

              સામાન્ય રીતે ભારત ની અમુક જાતિઓ ના ઉલ્લેખો “પ્રેમભાવે” કે “ વેભાવે” કોઈ ને કોઈ પુરાણ માં મળી આવે છે. ભલે પછી આ પુરાણ જુનું હોય કે નવું, સત્ય કથા તરીકે હોય કે અતિશયોક્તિના બણગા હોય, વાસ્તવિકતા ભર્યું હોય કે ચમત્કાર ભર્યું હોય – છેવટે એ પુરણ છે એજ પુરતું છે. પ્રજા તેને આંખો મીંચીને સ્વીકારી લે છે: જેમ શાસ્ત્રો સ્વીકારી લેવાયા છે તેમજ,
ગુજરાત તેમજ ભારત ઉપર વિદેશીઓ અને વિધર્મીઓ ના આક્રમણો ઈ.સ. પૂર્વે થી અનેક રીતે થતાજ આવ્યા છે. એમાંથી મોટાભાગની જાતિઓ કાળાંતરે વિદેશી માંથી દેશી અને વિધર્મી માંથી ઘણી ખરી ભારત ધર્મી થઇ ગઈ છે. ભારતીય સમાજ સાથે જે આંત પ્રોતના થઇ હોય એવી તો ઘણી ઓછી છે. પરંતુ ભારતીય ધર્મ સાથે ઓતપ્રોત ના થઇ હોય એવી કેટલીક પ્રજાઓ માં પારસીઓ, ઇસ્લામીઓ, યહુદીઓ, અને ખ્રિસ્તીઓ વગેરે છે. એમાંય માત્ર ઇસ્લામી આક્રમણ ખોરો જ વધુ જનુની અને અલગતાવાદી રહ્યા છે. ભારતીય પ્રજા સાથે ના ભળીને તેમના ઉપર ક્રૂર દમન કરી તેમનું ધર્માંતર હિંસક બનીને પરાણે કરાવનાર માત્ર ઇસ્લામીઓ જ સૌથી વધુ અસમાધાન કારી અભારતીય રહ્યા છે. બાકીના મોટાભાગના ભારત બહાર થી અત્રે ઘુસી આવનાર વિદેશી – વિધર્મી જૂથો ત્રાસ જનક હોવા છતા ભારતીય સામાજીક વ્યવસ્થાના બીબામાં ઓછા કે વધુ ગોઠવાઈ ગયેલા છે. તે બધા ભારતની બહારથી આવ્યાનું સિદ્ધ થઇ ગયું હોય તો – છે (૧) આર્યો (૨) ગ્રીકો (૩) પહ્ લવો (૪) શકો (૫) હુણો (૬) ગુર્જરો (૭) તુર્કો તથા (૮) કાશ્મીર ની ઉત્તરે આવેલ મધ્ય એશિયાના પ્રદેશોની ટોળીઓ.

            દમન, કેર, ત્રાસ અને વૈમનસ્ય ભરેલું વલણ આશરે ૭૦૦ ઈ.સ. થી ૧૭૦૦ સુધીતો કટ્ટર ઇસ્લામવાદીઓ નું ખાસ રહ્યું છે. આવા એકાદ હાજર વર્ષો ભારતીય પ્રજાએ સર્વતોમુખી ઉથલ-પાથલ વેઠીને સામાજીક, આર્થિક, રાજકીય તેમજ ધાર્મિક કનડગત ભોગવી છે: ભળીને તો ભલું જ કરે શાની, છતા ભળ્યા વગર પણ ભારતીયો નું કલ્યાણ ઈચ્છ્યું જ નથી.

             ગુજરાતના ભાગે એવું દુર્ભાગ્ય આરબો અને ગઝનીના શાષકોએ ઈ.સ. ૭૦૦ થી ૧૧૦૦ વચ્ચે લાદેલું. આ ગાળા માં આ આક્રમકો ગુજરાત છોડી ગયેલા. બીજો તબક્કો છે ઈ.સ. ૧૧૦૦ થી ઈ.સ. ૧૭૦૦ વચ્ચે નો. આ આતતાઈ ઓ માં આવે છે. (ઇસ્લામ ધર્મ સ્વીકાર્યા બાદના) અફઘાનો, તુર્કો, અને મુઘલો લુંટફાટ – ત્રાસ – દમન – ધર્માંતર કાર્ય બાદ ગુજરાત છોડી જવાને બદલે તેઓ પ્રજાને દબાવી – કચડી નિર્ધન – નિરાધાર બનાવી ક્રૂર શાશક બનીને સ્થાઈ થઇ રહ્યા.

             બંને વખતે ભારતીય પ્રજાએ હીજરાતો કરીછે, છતા બીજા તબક્કામાં તેમના સામાજીક અને ધાર્મિક માળખાને એમણે છિન્ન ભિન્ન કરી નાખ્યું હતું.

આ સંદર્ભોને ધ્યાન માં રાખીને નીચેની તવારીખ અને ઘટનાઓ ધ્યાનમાં લેવા જેવા છે: – (નકશો ગુજરાત નો જોઈ જવો)

ઈ.સ.

સ્થળ

ઘટેલી ઘટના

૭૧૦

વલભી

સિંધ માંના આરબ હુમલાખોરોએ વલભી ભાંગ્યું-લુંટ્યું-પ્રજાની નાસ ભાગ થઇ

૧૦૨૪ – ૧૦૨૫

સોમનાથ પાટણ

સોમનાથની મૂર્તિ/મંદિરો તોડ્યા, ગામો લુંટ્યા – કતલો થઇ  શિવલિંગ ના કટકા ગઝનીની મસ્જિદના પગથિયામાં ચણી લીધા. સોમનાથ ના સુખડ ના  દ્વાર તે ગઝની લઇ ગયો.

૧૧૯૫

અણહિલવાડ

મહમદ ઘોરી ના સમય માં પંજાબ ના હકીમ કુત્ત્બુદ્દીન ઐબકે ગુજરાત પર ચડાઈ કરી પાટણ લુંટ્યું

૧૨૯૮ – ૯૯

જાલોર, મેવાડ, બનાસકાંઠા, મોડાસા, મેહસાણા, ડાંગરવા થઈને પાટણ પછી મોઢેરા ખંભાત, ધોળકા, સુરત, રાંદેર, દીવ, ઉના, સોમનાથ, માંગરોળ

કર્ણ દેવ વાઘેલાના અમલ વખતે અલ્લાઉદીન ખીલજીના સરદાર ઉલુઘ ખાને અને નસરત ખાને ચઢાઈ કરેલી. જાલોર (જાંબાલી પૂરે) જવાનો રસ્તો ના આપ્યો, પણ મેવાડ ના ગુહિલ રાજા સમરસિહે માંડ સામનો કરી રસ્તો આપેલો. કર્ણ દેવ નાસી ગયો. ગુજરાત માં ત્રાસ, પાટણ માં થાણું. આસાવલ ભાંગ્યું – મોઢેરા – સૂર્ય મંદિર તૂટ્યું. ઘણા નગરો લુંટાયા, લોકોની નાસભાગ. સોમનાથ ઈ.સ. ૧૨૯૯ માં તોડ્યું લુંટ્યું અને નાશ કર્ણ દેવ પાટણ માં.

૧૩૦૩ – ૧૩૦૪

પાટણ

અલાઉદ્દીન ખીલજીએ બીજી વાર આક્રમણ કરી પાટણ ગઢ તોડ્યો, કર્ણદેવ નાસી ગયો. ગુજરાત ઉપર નાઝીમ તરીકે ઉલુઘખાન મુકાયો.

૧૩૦૩

ચિત્તોડ

અલ્લાઉદ્દીન ખીલજીએ ચિત્તોડ જીત્યું.

૧૩૦૯

જાલોર (જમ્બાલીપુર)

અલાઉદ્દીન ના સેનાપતિ મલેક કાફરે જાલોર અને ફરીથી દેવગિરી પાડ્યા – જીત્યા.

           ગામનું નામ “વળાદ” પાડવામાં જે કોઈ અર્થ – કારણ કે સંજોગ હોય તે જયારે ઉકેલાય ત્યારે ખરા, બાકી તેમણે (બાલાર્કોએ) જયારે ગામ છોડવું પડ્યું હશે ત્યારે અચૂક તેનું નામ વળા દ હશેજ, કારણકે તેને છોડનાર સમૂહ તરીકે તેઓ “વળાદરા” ગણાય છે કોઈ હોય અને પુરાતત્વીય મેળવવા હોય તો ત્યાની જૂની વાવ જુના વલાદ નાં વસવાટ ની જગ્યા (લીમ્બચ માતાના મંદિર પાસે) ઉત્ખન્ન થાય તો કદાચ પુરાવા હોય તો – મળે. જાબાલી ઋષિનું એક અન્ય ક્ષેત્ર ઉત્કંઠેશ્વર તીર્થ પણ હતું – છે, ત્યાના મંદિર નો જીર્ણોધ્ધાર કરેલો દેખાઈ આવે છે. મંદિર ના શિખર ની દક્ષિણે જાબાલી ઋષિની બેઠેલી મૂર્તિ છે. આ મંદિર નો ઉલ્લેખ “પદ્મપુરાણ” માં છે. તેની સામે કાંઠે પશ્ચિમ માં ખોદવામાં આવે ત્યારે જમીન માં ભસ્મ ના થર ના થર મળી આવે છે એવું ત્યાની વસ્તી કહે છે. પરા પુર્વે ત્યાં યજ્ઞો થયેલા તેની ભસ્મ છે એવું મનાય છે. જે હોય તે ખરું. પણ કૈકતો ત્યાં બળેલું, બાળેલું હશે કે ભસ્મ સાત થયેલું હોય એમ પણ ગણાય. ઉત્કંઠેશ્વર નો ઉલ્લેખ “પદ્મપુરાણ” માં છે જ. એ જાબાલી ઋષિના સંદર્ભમાં છે. રાજસ્થાન માં આવેલ જાલોર નગર એકવાર જાબાલીપુર તરીકે ઓળખાતું હતું. જાતિના નામ ઉપરથી તેમના નવા વસવાટના પ્રદેશનું કે સ્થળ નું નામ પડ્યાના ઘણા ઉદાહરણો છે. જોકે વિપરીત શક્યતા નકારી ના શકાય. છતાં નીચેનો કોઠો જોઈ જવા જેવો ખરો: –

જાતિનું નામ

પ્રદેશ નું નામ

ગુર્જરો

ગુર્જર દેશ – ગુજરાત

બલોચ

બલુચિસ્તાન

કાઠી

કાઠીયાવાડ

મેર (મિહિર)

મેરવાડા / મેડતા, અજમેર / બહાડ્મેર

નાગજાતિ

નાગપુર, નાગદ્વીપ (હસ્તિનાપુર), નાગાલેન્ડ, શેષનાગ, અનંતનાગ, બૈરી નાગ

જાન્બુલી – જાઓલી

જાબુલીસ્તાન (અફઘાનિસ્તાન), જાબાલીપુર

             કેટલાક સૂચક લાગે તેવા ઉલ્લેખો બાલાર્કો વિષે “પદ્મપુરાણ”માં છે તે સૂચિતાર્થો : – (૧) “બાલાર્કા વિપ્રા ભવિસ્યંતી તવાત્મજા: વિપ્રત્વં આપન્ના: (આ બાલા ને સૂર્ય કહે છે.) (૨) બાલાર્ક જ્ઞાતિ સમભવા: (૩) બ્રહ્મ ક્ષત્રસ્ય વંશો અયમ સંજાતો (૪) બાલાર્કા: બ્રહ્મ ક્ષત્રિયા (૫) બાલાર્ક સંગ્નીતા દ્વિજા: (બાલાર્ક નામે દ્વિ જન્મ વાળા ) (૬) તે યાચના કરતાં નોહતા (૭) ન ઉપ્વિતા: તે સંસ્કાર રહીતા:

           પદ્મપુરાણ ના બાલોપાખ્યાન માં બીજી એક ધ્યાન ખેચતી બાબત એ છે કે “બાલા નું નામ માતા તરીકે છે પણ “ દેવી” તરીકે, તેનો ઉલ્લેખ શ્લોકો માં ક્યાય દેખાતો નથી તેમજ તેના નામે “દેવી”ના મંદિર નો પણ ઉલ્લેખ નથી. જયારે સૂર્ય નો દેવતા તરીકે તેની સ્વર્ણ મૂર્તિ અંગે નો ઉલ્લેખ શ્લોકો માં છે. બાલા ના નામ થી “ગામ – સ્થળ ઓળખાશે” એમ સુચન છે. પરંતુ દેવી તરીકે બાળાની પૂજા થાય કે મંદિર બંધાય એવું સુચન પણ કોઈ શ્લોક માં નથી.

            નવા લગ્ન સંબંધો નવાગુંતકો સાથે થાય ત્યારે બાહુ સંખ્યક સમાજ નવી વિવાહિત થયેલી વ્યક્તિને સંકોચ વગર અપનાવવા માટે તેઓ સમાજ એકદમ તૈયાર થતો નથી. સદાકાળ આમજ થતું આવ્યું છે. સમયાંતરે તેની સ્થાનિક જૂથ સમાવી લે છે. બહારથી આવેલી અનેક જાતિઓ આમ ભારત માં ધીમે ધીમે ભળી ગઈ. પ્રથમ સમાજ અપનાવે છે પછી તેનો સ્થાનિક ધર્મ દેખ્યું – અણદેખ્યું કરીને અપનાવી લે છે. આવુજ સુર્યોપાસક જાતિના લોકો નું પણ થયું. ભય – લાભ અને પ્રીત્યર્થે સમાજ આવું બધું અપનાવી લે છે. “પદ્મપુરાણ” નો સાર ગ્રહણ કરવો હોય તો આ છે. બીજું એ કે બાલાર્કો શસ્ત્ર જીવી માંથી બ્રાહ્મણ કર્મી થયા.

            વળાદ ગામ માં હાલ જે કોઈ ખંડિત મૂર્તિઓ જોવા મળે છે તે રેતિયા પત્થર ની છે. જે મંદિરના કંદોરા કે અન્ય ભાગમાં મંદિરની કે સ્થાપત્યની શોભા માટે કંડારવામાં આવી હોય એમ બને, છતા એટલું કેહવાનું મન થાય કે કોઈ મૂર્તિ આરસ ની નથી. ત્યાની પ્રાથમિક શાળા માંથી જાણવા મળ્યું કે તેમના ચોગાન માંથી એક મૂર્તિ (સંભવતઃ) સૂર્ય ની લાગે તેવી એક ભાઈ થોડા વખત પેહલા લઇ ગયા છે, તેના જણાવ્યા ઉપરથી તેમને એમ લાગેલું કે તે મૂર્તિ કોઈક જાણીતી સંસ્થામાં ગઈ છે.

            ગામમાં ઊંડે એક નાની દેરી આવેલી છે. તેમાં એક બેઠેલી મૂર્તિ છે. પેહરાવેલા વસ્ત્રો દુર કરાવીએ તો બેઠેલી મુદ્રા લાગે. જે પીઠીકા ઉપર તેને બેસાડેલ છે તેની ઉપર ઓમ કોતરેલું છે. સ્થાનિકલોકો ના કેહવા મુજબ તે મૂર્તિ જાબાલી ઋષિ ની છે. કંડારણ ના તો સરસ કે ના તો કલામય લાગે એવું છે. આંખો બેસાડેલી લાગે છે. આવી અણઘડ અને આંખ ને કદાચ ના ગમે તેવી મૂર્તિ પુરાણી પણ નથી લગતી – કમસે કમ ૭૦૦ – ૮૦૦ વર્ષ જુનું હોય તેવું ઘડતર લાગતું નથી. અધૂરામાં પૂરું તેના મો આગળ વાટકા જેવી પત્થરની જ આકૃતિ કંડારેલી છે. જે કુતુહલ અને આશ્ચર્ય ઉપજાવે છે. ત્યાના એક વૃદ્ધ (વય ૮૪ વર્ષ) શ્રી માધવલાલ સં. જાની એ માહિતી આપી કે વાટકા માં તે મૂર્તિ ને ઓગળેલું સીસું પીવડાવાતું, તે દેરી માં જૈન સુત્રો અને સ્તવનો કાચની ફ્રેમ માં મઢેલા ટીંગાડેલા દેખાય છે. એવું લાગે છે કે આ અણગમતી મૂર્તિ કદાચ કોઈ ઉગ્ર પંથી કે વામમાર્ગી ઉપાસકો ની ઉપાસ્ય મૂર્તિ પણ હોય. પાછળ થી જામ્બાલી ઋષિ તરીકે સાચવી રાખ્યું હોય એમ બન્યું હોય. ગામ થી પૂર્વોત્તર દિશા માં એટલેકે હાઇવે નં ૮ અને માતરી માતાના નવા મંદિર ની વચ્ચે ગામ ના રસ્તા ની ઉત્તર બાજુએ એક લાંબી વાવ હાલમાં પણ છે. તે ૭ કોઠા વળી ગણાય છે. પગથીયા સાંકડા છે, કુવો ઊંડો છે, પાણી છે, ખેતી માટે વપરાય છે. વાવ ની અંદર ની દીવાલોમાં કોક ઠેકાણે ગોખલા મુકેલા છે. જેનું કોતરકામ – શિલ્પ વેલ, ફૂલ કે ભૌમિતિક આકૃતિ વાળું છે. કોઈ મૂર્તિ કે પ્રાણીના આકારો કોતર્યા હોય એવું લાગતું નથી. આ વાવ મુસ્લિમ અમલ દરમ્યાન બંધાવાઈ હોય એવો સંભવ લાગે છે. અલાઉદ્દીન ખીલજીના આક્રમણો એટલેકે ઈ.સ. ૧૨૯૮ થી ૧૩૦૩ આસપાસ ના સમય ની કે તે પેહલા ના સમય ની આ વાવ હોય તેવો સંભવ ઘણો ઓછો લાગે છે. જાણવા મળે છે કે આ ગામ માં બીજી એક વાવ પણ છે.

           વળાદ ગામ ઉપરના મુસ્લિમ હુમલા વખતે બચેલા વળા દરા ના જૂથો એ હિજરત કરી હશે. તેમના એક જુથે ૮૮ વર્ષોના રજળપાટ પછી મેવાડ ના ક્ષેત્ર ણે પસંદ કર્યું. ત્યાં સ્થાઈ થવા માટે તે જુથે ત્યાના “રાણા” કે અધિપતિ સમક્ષ સહાય માંગી હશે. સૌરાષ્ટ્ર ના ગુહિલ વંશ ના, મેવાડની ગાદીના સ્થાપક વંશ ના તે વખત ના રાણા ના શાશન હેઠળ તે સ્થળ હતું. આ બિના સંબંધી ઐતિહાસિક ગણાય એવા બે પુરાવા હમણાજ (જાન્યુઆરી ૧૯૯૭) મેવાડ ના ગામ મોડી (માંડી) માંથી ઉપલબ્ધ થયા છે. તે અંગે ના બે તામ્રપત્રો ની નકલો પ્રાપ્ત થઇ છે. તે ધ્યાન થી જોઈ જવા જેવી છે. તે ઝેરોક્ષ નકલો ની ફોટોકોપી આજ લેખ માં જોવા મળશે.

            પહેલો દસ્તાવેજ સંબંધ ૧૪૪૪ (ઈ.સ. ૧૩૮૮) માં ત્યારના મેવાડના રાણા એ બલા દરા ને ૨૭૦૦ વીઘા જમીન તેમણે સ્થાયી વસવાટ કરવા દાન માં આપી હોય એમ લાગે છે. એમાં લખાણ છે કે “સિંધા શ્રી મહારાણાજી શ્રી રાયમલજી જમી બીગ ૨૭૦૦ … સુરજ પર બામ રામા અર્પણ કર દીદી” એમ લખાણ વંચાય છે. જેમને દાન માં આપ્યું છે તેમનું નામ અત્યારની સમજ માં જટ ઉકલે એમ લાગતું નથી. છતાય એમ વંચાય કે “ રાએમલજી કા દત પરદત બામણ બાલમ (કે સાસમ પણ વંચાય) બલા દરા ન … ગામ સાલાર માલા બીગ જમી બીગ ૨૭૦૦” એમ વંચાય છે. છેલ્લે “ સંવંત ૧૪૪૪ મતિ શ્રાવણ સુદી ૭, દસગત પંચોલી કરશન લાલકા” આમ છે. એમાં એક શબ્દ “દસગત” જો તે “દસ્તખત” નું જ રૂપ હોય, તો પ્રશ્ન એ થાય છે કે નેવું થી સો વર્ષ ના ગાળા માં ઉર્દુ કે ફારસી શબ્દ ની મુસ્લિમ અસર શાશકીય લખાણ ની ભાષામાં દક્ષીણ – પૂર્વ રાજસ્થાન માં ઉપસી આવેલી હતી.

            આ “તામ્ર પત્ર” જે કુટુંબ પાસે હતું તેના માંહોમાંહે ના જઘડા માં તે તામ્રપત્ર કોઈ સ્ત્રી દ્વારા ગુમ થયેલું. હાલ માં તે તામ્ર પત્ર ક્યાં છે તેની હાલના બ્રાહ્મણો ણે ખબર નાથ. છતા તે મૂળ દસ્તાવેજ ની નકલ એક કુટુંબ ના કબ્જા માં હાલ છે. એનો ઉતારો અત્રે લીધો છે.
ઝઘડાઓને લીધે મૂળ તામ્રપત્ર ગુમ થયા બાદ વર્ષો વહી ગયા હશે. જમીન ના દાન માટે “બલા દરા” બ્રાહ્મણો એ ફરીથી અરજ કરી ત્યારે તે વખત ના રાજા એ તે મૂળ તામ્ર પત્ર રજુ કરવા કહ્યું હશે. તેમ ના થઇ શકતા ફરીથી વર્ષો વીત્યા છેવટે ૪૪૯ વર્ષો બાદ તે વખત ના મહારાણા એ જમીન મફત માં આપવાનું ટાળ્યું હશે અને કૈક ઉઘરાણું કરી રાજ માં જમા કરાવે તો સસ્તા માં તે આપવાનું ઠરાવ્યું હશે. બલા દરા ઓ ની દરિદ્ર પરિસ્થિતિ ણે લીધે જે થોડી રકમ થઇ શકી તેમાંથી મહારાજ શ્રી સુરજમલ જી એ ૪૯૪ વીઘા જમીન તેમને આપી એમ લખાણ દર્શાવે છે. આ સમય સવંત ૧૮૯૩ (ઈ.સ. ૧૮૩૭)ના શ્રાવણ સુદી ૯ નો લખ્યો છે. મહારાજા ધીરાજ મહારાણા શ્રી જવાન સીઘજી… મોડી ના બામણ કે સોજ કિસના ધની રૂપો… મયારામ ઐાર સમસ્ત બામણ ગરાસીયા જાત ગુજરાતી બલા દરા કશા ગામ મોડી… પર ગણી… વીઘા ૪૯૪ આગે મહારાજ શ્રી સુરજમલજી રો દીદી: રાજીરો તાંબા પત્ર ઘોસીદમ… નિર્ધાર કરે પાછો યાજ્મી ઉદક આગાર શ્રી રામા અર્પણ કરે નવો તાંબા પત્ર કરે બીવાણી હે સો… મેહતા ઉમેદ સિંઘ”

           આ બે લખાણ માં મહારાજા ધિરાજ, મહારાણા, મહારાજ કે રાણા એવા ચાર બિરુદો દસ્તાવેજ માં આવે છે: (૧) શ્રી રાએમલજી, (૨) શ્રી જવાન સિંઘજી, (૩) શ્રી સુરજમલજી

            પુસ્તક: The Chronology of Indian History from the Earliest Times to the Beginning of the Sixteenth Century ના લેખિકા છે: C. MABEL DUFF.

           તેમાં આપેલ પાના નં ૨૮૭ અને ૨૮૮ ઉપર મેવાડના ગુહિલ વંશ ની રાજ – વંશાવળી છાપેલી છે. તે યાદીમાં ૬૧માં ક્રમે જે નામ રાણા નું છે તે “ જવાન સિંઘ ભીમ સિંઘ નો દીકરો” એમ છાપેલ છે, સામે ઈ.સ. ૧૮૨૮ આપેલ છે. ઉપરના ત્રણ રાજાઓ ના નામો માંથી માત્ર આ એકજ નામ તે વંશાવળી માં સમાવાયું છે. બનવા જોગ છે કે વંશાવળી બધી રીતે સંપૂર્ણ ના પણ હોય.

           કેટલાક તારણો વિચાર – મનન કરવા યોગ્ય છે “વળા દરા અને સાચોરા” બ્રાહ્મણો બાબતે આ વાત, બંનેની સુમેળ માં રહેલી કેટલીક લોકવાયકાઓ વિષે વધુ બંધ બેસતી આવે છે. વિધર્મીઓ ના તો ગુજરાત માં ઘણા બધા હુમલાઓ થયા છે. પરંતુ ઈ.સ. ૧૩૦૦ ની આસપાસ માં આવા જે હુમલા રાજસ્થાન અને ગુજરાત માં થયા ત્યારે,
(૧) સાચોરા વળા દ માં રહેલા નોહતા તેથી તે વળા દરા કેહ્વતા નોહતા. તેવીજ રીતે વળા દરા સાંચોર માં રેહતા નોહતા. તેથી તેઓ સાચોરા કહેવાતા નહોતા. એટલેકે ત્રણ કાઢવાનું એ કે ઈ.સ. ૧૩૦૦ ની પેહલાથી જ બેઉ સુર્યોપાસક અને અશ્વાભીભુત હતાજ. જેમ ઉચ્ચિશ્રવા અશ્વ પ્રત્યે બાલાર્કો નો અહેસાન ભાવ તેમન લોકોકિત માં છે. તેમ સાચોરા માં પીંગલ શ્યામ (સૂર્ય) ના પીળા ઘોડા થી તેઓ અભિભૂત હતા.
(૨) એટલે કે ઈ.સ. ૧૩૦૦ ની પેહલાના ગાળા માં આ બેઉ જાતિના સમૂહોમાં નિકટતા હતી – કોઈ સ્થળે કોઈ સમયે બેઉ જ્યાં સહ નિવાસ કે નિકટ – નિવાસ કરતાં હોય તે સ્થળ ક્યાં હશે જેમાં દૈવી ધોતિયાં અને દૈવી રક્ષણ બંને ને ઉપલબ્ધ હતા. જ્યાં સાધન સંપન્ન સગવડો અને જીવણ ઉપયોગી ઉપાર્જન નું બાહુલ્ય હતું એવું એ સ્થળ હશે માટેજ બંને સમૂહોને નંદનવન માં મળતા સુખવિલાસ ની યાદ વળા દ અને સાચોર માં વસવાટ પછી પણ બંને સમૂહો ભૂલ્યા નથી. આવું સ્થળ વળા દ ની દક્ષિણે હતું કે ઉત્તરે? સાંચોર ની કઈ દિશા માંથી સાચી હરો સાંચોર માં આવ્યા?

            “બાલા અને જાબાલી” જેવા બાલાર્કો ને માટે અસર કરતાં માતા પિતા જેવા પાત્રો ઈ.સ. ૧૩૦૦ ની પણ પહેલા તેમની આખ્યાયિકો માં વણાયેલા હશે? જો એમ હોય તો બાલાર્કો સાચીહારો થી થોડાક પણ થોડાક પણ અળગા રેહતા હશે. અને થોડા અલગપણા ણે લીધે “સાચી – હરો” માટે “સતી દાક્ષાયણી” નું પાત્ર તેમની ધાર્મિક માન્યતા ને તે વખતે વધુ સ્પર્શી ગયું હોય એમ બને. એટલેકે આ જુદા સ્થળો એ બેઉ સમૂહો રેહવા લાગ્યા તેથી પણ પેહલા તે બેઉ નો સહ નિવાસ કોઈ ત્રીજા અન્ય સ્થળે વધુ ઘેરો નિકટનો હતો. “બાલા અને જાંબાલી” થી સાચી – હરો કૈક અજાણ છે, જયારે દાક્ષાયણીજી થી બાલાર્કો અજાણ છે. એવું માનવા પ્રેરાવું પડે કે જામ્બાલી પુર અને બાલાર્કો વચ્ચે વધુ સંપર્ક હોય સાચી – હરો ને હોવો જોઈએ તે કરતાં વધુ. ઈતિહાસ ના ઊંડાણ માં વળા દ થી અને સાંચોર થી વધુ આગળ શોધ કરવી હોય તો પુરાતત્વ ણે વધુ મદદ માં લેવું પડે.

            બીજી એક છેવટ ની વાત માટે હનુમાન વિચાર કરવા પ્રેરે છે. સૌરાષ્ટ્ર નું ગામ વલભી ગુજરાત ની રાજધાની હતું. લોકોકિત માં લોકો તેને વલહી કે વલઈ એમ જાણતા. પછી તેની પાસેનું એક ગામ – વલભી ના નાશ પછી – વળા જાણીતું બન્યું શું “વળા અને વળા દ” વચ્ચે માત્ર ઉચ્ચ્ચાર સામ્ય જ છે કે કોઈ ઐતિહાસિક અનુબંધ છુપાયેલો પડ્યો હશે?

            વળાદ થી વળા દરા ઓ નું સ્થળાંતર ક્યારે થયું હશે તે અંગે અનેક અનુમાનો થી પ્રેરાયેલું મતમતાંતર પ્રવર્તે છે. કોઈ એમ માને કે અમદાવાદ ના સુલતાન પણ ધર્માંધ બન્યા ના દાખલા છે. ઈ.સ. ૧૬૦૦ થી ૧૬૬૦ વચ્ચે આ બનવા જોગ હોય કારણ એ કે શાહજહાંન ધર્માંધ હતો. એમ કેટલાક નું માનવું છે. ઈતિહાસ માં પાના ઉથલાવીએ તો લાગે કે સિંધ ના આરબો થી માંડીને મોહમ્મદ ગઝનવી, દિલ્હી ના સુલતાનો, ગુજરાત ના સુલતાનો અને મુગલ બાદશાહો સુધ્ધાં ક્રૂર અને ધર્માંધ હતા. આ બધા માંથી ગુજરાત ની તરફદારી કરે કે તેની પ્રત્યે કુણી લાગણી ધરાવે તેવો દયાળુ – માયાળુ – ઓલિયો અને સંત કોઈ ભાગ્યેજ મળી આવે!

            પુરાતત્વીય ઐતિહાસિક બને એવો પુરાવો, બાલાર્કો એ વળા દ ગામ છોડ્યા અંગે કોઈ અણસાર આપે એવો પુરાવો સને ૧૯૯૬ સુધી તો મળ્યો નથી. પરંતુ સતર્ક, પથદર્શક, અનુમાનો અને સમકાલીન, આનુંશંગિક ઘટનાઓ, સંદર્ભો કે બાલાર્ક – વંશ વેલા માં સંગ્રહાયેલી કવચિત મળતા દસ્તાવેજ જેવા પુરાવા રૂપી પગેરા મેળવવામાં આ લેખ જો સફળ થાય એવું લાગે તો તે “બાલાર્કાય અર્પણ” કહીને વિરમું છું.

નાની સરખી પણ માહિતી – કડી – સુચન કે ઈશારો મેળવવામાં યથા શક્તિ ઉપયોગી થાય તેવા સંદર્ભ પ્રેરકો નીચે દર્શાવું છું:-

 

સંદર્ભ સાહિત્ય

લેખક શ્રી

ગુજરાત નો પ્રાચીન ઈતિહાસ

હરિપ્રસાદ ગં શાસ્ત્રી

પ્રાચીન ભારત ભાગ ૨

હરિપ્રસાદ ગં શાસ્ત્રી

ચક્રવર્તી ગુર્જરો

કનૈયાલાલ માં. મુન્શી

ગુજરાત સ્થળ નામ સંસદ વ્યાખ્યાન માળા ભાગ ૧

પ્રાચ્ય વિદ્યા મંદિર મ. સ. વિ. વિદ્યાલય

The glory that was Gurjar Desh

K M Munshi

The historical Atlas of India

Charles  Coppen S J

The Chronology of Indian History from earliest times to the beginning of 16th century

C. Mabel  Duff

The Hunas in India

Upendra Thakur

Sources of Indian History Coins

Alexander Cunningham

૧૦

Medaeval India

Alexander Cunningham

૧૧

Coins

Parmeshwarilal Gupta